આ યોજનાની અમલવારી રાજ્યો દ્વારા વિવિધ રીતે શરૂ કરવામાં આવી. સોલાર રૂફટોપ યોજના દ્વારા સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ ધાબા પર કે ઈમારતની છત પર લગાવવામાં આવે છે. જેના દ્વારા ઇલેક્ટ્રિકસીટી ઉત્પન્ન કરીને તેનું વેચાણ પણ કરી શકાય છે અને ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે.
આ યોજનાનું નામ છે ‘સોલર રૂફટોપ સબસિડી યોજના’ (Solar Rooftop Yojana). દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની તરફથી આ યોજના ચલાવવામાં આવી રહી છે. સોલર રૂફટોપ યોજનાથી કેન્દ્ર સરકાર દેશમાં ક્યારેય પૂર્ણ ન થનાર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. કેન્દ્ર સરકાર તેના માટે ઉપભોક્તાઓને સોલર રૂફટોપ ઈન્સ્ટોલેશન પર સબસિડી આપે છે.
સોલાર રૂફટોપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું ?
- રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું
- કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું
- અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી
- સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા
સોલાર રૂફટોપ યોજનાના લાભ
• મફત વીજળી : સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં વસૂલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.
• વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થતી હશે તો તે ગ્રીડમાં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને નિયત રકમની ચૂકવણી પણ કરવામાં આવશે.
• આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં મોકલવામા આવશે.
• 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.
સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યા હોવી જરૂરી છે?
સોલર પેનલ લગાવવા માટે વધારે મોટા પ્રમાણમાં કોઈ જગ્યાની જરૂર રહેતી નથી. આ પેનલને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકાય છે. 1KW સૌર ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડશે.
સોલાર રૂફટોપ યોજના માટે અરજી કોણ કરી શકે?
- સોલાર ઇન્સ્ટોલેશનની જગ્યા ડિસ્કોમના ગ્રાહકની માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહકના કાયદેસરના કબજામાં હોવી જોઈએ
- સોલાર રૂફટોપ સિસ્ટમમાં તૈનાત સોલાર સેલ અને સોલાર મોડ્યુલ Made In India હોવા જોઈએ એટલે કે સૌર કોષો અને/અથવા બિન-ભારતીય મૂળના મોડ્યુલ આ યોજના હેઠળ સબસિડી માટે પાત્ર નથી.
- ફક્ત નવા પ્લાન્ટ અને મશીનરીને ઇન્સ્ટોલ કરવા માટે મંજૂરી આપવામાં આવશે અને તેને બીજે ક્યાંય ખસેડવામાં આવશે નહીં.
સોલાર રૂફટોપ યોજના સબસિડી ગુજરાત માટે જરૂરી દસ્તાવેજો
- વિક્રેતા, લાભાર્થી અને ડિસ્કોમ અધિકારી દ્વારા હસ્તાક્ષર કરાયેલ સોલર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ
- રૂફટોપ સોલર સિસ્ટમ સેટઅપ માટે વેન્ડર તરફથી ચૂકવણીનું બિલ/પ્રમાણપત્ર
- 10kw કરતાં વધુ સેટઅપ: Cei દ્વારા ચાર્જિંગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર
- 10kw કરતાં ઓછું સેટઅપ: ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર
- સંયુક્ત સ્થાપન અહેવાલ જે લાભાર્થી અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા હસ્તાક્ષર કરેલ ઇન્સ્ટોલેશન વિશે પ્રદાન કરે છે.
સોલાર રૂફટોપ યોજનાની સબસિડી
ક્રમ | કુલ ક્ષમતા | કુલ કિમત પર સબસિડી |
1 | 3 KV સુધી | 40% |
2 | 3 KV થી 10 KV સુધી | 20% |
3 | 10 KV સુધી | સબસિડી મળશે નહી |
સોલાર રૂફટોપ યોજના 2022 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ?
https://suryagujarat.guvnl.in/ આ લિંક પર ક્લિક કરીને અરજી કરી શકાય
https://solarrooftop.gov.in/ (રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સોલાર રૂફટોફ યોજનાની જાણકારી માટે)
આ યોજનાને શરૂ ભારત સરકારના નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. 3KM સુધીના સોલર રૂફટોપ પેનલને ઈન્સ્ટોલ કરવા પર તમને 40 ટકા સુધી સબસિડી સરકાર દ્વારા મળશે. ત્યાં જ 3KM બાદ 10KM સુધી 20 ટકા સબસિડી તમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.
સોલાર રૂફટોપ યોજના 2022 હેલ્પલાઈન નંબર
Email:info.suryagujarat@ahasolar.in
ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333