સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટે 31 માર્ચ 2023ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. કુલ 61 કરોડ PANમાંથી, લગભગ 48 કરોડને અત્યાર સુધીમાં આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે અને જેમણે 31 માર્ચ સુધીમાં આવું કર્યું નથી, તેઓ બિઝનેસ અને ટેક્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં લાભ મેળવી શકશે નહીં.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ રવિવારે જણાવ્યું હતું કે હજુ સુધી કેટલાંક કરોડ PAN ને આધાર સાથે લિંક કરવામાં આવ્યા નથી, પરંતુ આ કામ 31 માર્ચની સમયમર્યાદાના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
PAN લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થશે
31 માર્ચ, 2023 સુધીમાં આધાર સાથે લિંક ન હોય તેવા વ્યક્તિગત PAN આ તારીખ પછી નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. આ સાથે સરકારે કહ્યું છે કે વર્તમાન સમયથી 31 માર્ચ સુધી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
સરકારે 31મી માર્ચ સુધી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરાવવાની મુદ્દત આપી છે. ત્યારે 1000 રૂપિયાનો દંડ ભરીને આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરાવી શકશો. જો લિન્ક નહીં હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય એટલે કે રદ્દ થયેલું ગણાશે. ત્યારે આવો આ આર્ટિકલમાં જોઈએ કે જો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક નહીં હોય તો કયા લાભ મળવાના બંધ થઈ જશે.
જો આધાર-પાન કાર્ડ લિન્ક નહીં હોય તો…
ટેક્સદાતાઓ ITR ફાઇલ કરી શકશે નહીં અને આઈટીઆર ક્લેમ કરી શકશે નહીં.
બાકીનું રિટર્ન ભરી શકાશે નહીં અને રદ્દ થયેલા પાન કાર્ડને બાકીનું રિફંડ આપવામાં આવશે નહીં.
TCS/TDS મોટા પ્રમાણમાં લાગુ થશે
TCS/TDS ક્રેડિટ ફોર્મ 26ASમાં દેખાશે નહીં અને TCS/TDS પ્રમાણપત્ર મળી શકશે નહીં.
કરદાતાઓ શૂન્ય TDS માટે 15G/15H સબમિટ કરી શકશે નહીં.
બેન્ક ખાતું ખોલાવી શકશે નહીં
ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મળી શકશે નહીં
50 હજારથી વધુ મ્યુચ્યુલ ફંડના યુનિટ ખરીદી શકશે નહીં.
50 હજારથી વધુની રકમ એક દિવસમાં બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં રોકડ સ્વરૂપે જમા કરી શકાશે નહીં.
એક દિવસમાં 50 હજારથી વધુની રોકડ બેન્ક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની ખરીદી કરી શકાશે નહીં.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાખ્યાયિત થયેલા એક અથવા વધુ પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ માટે બેન્ક ડ્રાફ્ટ, પે ઓર્ડર અથવા બેન્કર ચેક દ્વારા એક નાણાંકીય વર્ષમાં 50 હજારથી વધુ રકમની ચૂકવણી કરી શકાશે નહીં.
કોઈપણ વ્યક્તિ 2 લાખ રૂપિયા પ્રતિ ટાન્ઝેક્શન કરતાં વધુ માલ કે સેવાઓનું વેચાણ અથવા ખરીદી કરી શકશે નહીં.
પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરાવવું કેમ જરૂરી છે? જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિન્ક નહીં કરેલું હોય તો પાન કાર્ડ રદ્દ ગણવામાં આવશે.
Pan Card Aadhar Link Status Check Online
સ્ટેપ-1 :– Pan Card Aadhar Link Status Check Online કરવા માટે, તમારે સૌ પ્રથમ તેની સત્તાવાર વેબસાઈટના હોમ પેજની મુલાકાત લેવી પડશે, જે નીચે મુજબ હશે
સ્ટેપ-2 :– હોમ પેજ પર આવ્યા પછી, તમને Quick Links ના વિભાગમાં Link Aadhar Status નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ-3 :– ક્લિક કર્યા પછી, તેનું સ્ટેટસ પેજ તમારી સામે ખુલશે, જે આના જેવું હશે.
સ્ટેપ-4 :– હવે તમારે અહીં તમારો આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર દાખલ કરવો પડશે અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ-5 :– ક્લિક કર્યા પછી તમને તમારું સ્ટેટસ બતાવવામાં આવશે જે આના જેવું હશે.
સ્ટેપ-6 :– છેલ્લે, આ રીતે તમે બધા તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સ્થિતિ સરળતાથી ચકાસી શકો છો અને તેના લાભો વગેરે મેળવી શકો છો.
આધાર પાન પાન કાર્ડ લિંક સ્ટેટસ ચેક | અહી ક્લિક કરો |
આધાર કાર્ડ સાથે લિંક કરવા | અહી ક્લિક કરો |
ઉપરોક્ત તમામ પગલાંને અનુસર્યા પછી, તમે બધા સરળતાથી તમારું AadharCard – PAN Card Link Status Check કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.