પીએમ કિસાન યોજના 2000રૂ જમા : 14માં હપ્તાની રકમ તમારા એકાઉન્ટમાં આવી કે નહીં, આ રીતે ચેક કરો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Yojana) દ્વારા ખેડૂતોને નાણાંકીય જરૂરતો પૂર્ણ કરવા 3 હપ્તે કુલ 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે તેમના રાજસ્થાન પ્રવાસ દરમિયાન સીકરમાં આયોજિત કરાયેલા એ કાર્યક્રમમાં સવારે 11 વાગ્યે પીએમ કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે.

ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો 14મો હપ્તો

પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો દર 4 મહિને ખેડૂતોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ આજે ખેડૂતોના ખાતામાં 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારે ખેડૂતોએ જાણી લેવું જોઈએ કે આ 14મો હપ્તો એવા જ ખેડૂતોને આપવામાં આવશે, જેમનું એકાઉન્ટ આધારકાર્ડ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI) સાથે લિંક થયેલું હશે.

પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થયો છે કે નહીં કેવી રીતે ચેક કરશો?

  • પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ– https://pmkisan.gov.in/ પર જાવ
  • ‘ફોર્મર કોર્નર’ના અંતર્ગત અને ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો
  • આપનો આધાર નંબર, ખાતા નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો
  • ‘ગેટ સ્ટેટસ’ ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ લેટેસ્ટ અમાઉન્ટ સબમિટ થયાની ડિટેલ્સ મળી જશે.

તમારૂ નામ ચેક કરવા અહી ક્લિક કરો

મોટાભાગના લાભાર્થીઓને આવી ગયા રુપિયા

મોટાભાગના ખેડૂતોને તેમની બેંકમાંથી SMS દ્વારા રૂ. 2,000 ટ્રાન્સફર થયાની ખબર પડી હશે. જો તમને હજુ સુધી SMS મળ્યો નથી અથવા તમારા બેંક ખાતામાં પૈસા મળ્યા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે અહીં ફરિયાદ કરી શકો છો, પછી તમારા પૈસા તરત જ ટ્રાન્સફર કરવામાં આવશે.

જો તમારા ખાતામાં પૈસા નથી આવતા તો સૌથી પહેલા આ કામ કરો

સૌ પ્રથમ PM કિસાન pmkisan.gov.in ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો. હોમ પેજ પર પૂર્વ ખૂણા હેઠળ લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે.અહીં તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.તમે ગેટ ડેટા પર ક્લિક કરતાની સાથે જ તમારું સ્ટેટસ તમારી સામે દેખાશે. અહીં તમને ખબર પડશે કે પૈસા આવ્યા કે નહીં.

ઑનલાઇન eKYC કેવી રીતે કરવું?

Step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.

Step 2 – e-KYC ના વિકલ્પ પર ક્લિક કરો.

Step 3 – આધાર નંબર દાખલ કરો.

Step 4 – ઇમેજ કોડ દાખલ કરો.

Step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.

Step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો e-KYCની પ્રક્રિયા પૂર્ણ થશે.

અહીં ફરિયાદ કરો

જો તમને PM કિસાન સન્માન નિધિના 14મા હપ્તાના પૈસા હજુ સુધી મળ્યા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી ફરિયાદ પીએમ કિસાનના સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર નોંધાવી શકો છો. આ ઉપરાંત, તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261, 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ કૉલ કરી શકો છો અને પૂછી શકો છો કે તમારા પૈસા હજુ સુધી કેમ નથી આવ્યા.